________________
48
* જૈનતત્ત્વ વિચાર
બેથી માંડીને યાવત્ અનંતા પરમાણુના કંધે અને અનંત જીના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ પરસ્પરને બાધાર્યા સિવાય રહી શકે છે. (જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાના પ્રકાશ મળી જાય છે તેમ.) તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી કર્મવર્ગણાઓ લાગેલી હોય છે. તે વર્ગણાએ અનંત પરમાણુઓને કાની બનેલી હોય છે.
આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જેના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે રહેલા છે, તો પણ તેમાં જધન્યપદ અને ઉત્કૃષ્ટપદ હેાય છે, લોકને અંતે જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્ફટ કહેવાય છે ત્યાં, કે જ્યાં રહેલા જીવેને ત્રણ દિશિને જ આહાર મળી શકે છે, સ્પના પણ ત્રણ દિશાની જ તેમને હોય છે, બાકીની ત્રણ દિશાએ અલેક હોય છે, ત્યાં જ “જઘન્યપદ હેાય છે.. ત્યાંના પ્રત્યેક આકાપ્રદેશ ઉપર જીવપ્રદેશે સર્વથી થોડા. હોય છે, તે જઘન્યપદ કહેવાય છે. તે જઘન્યપદના જીવપ્રદેશો. કરતાં સર્વ જી અસંખ્યગુણા હોય છે અને ઉત્કૃષ્ટપદવાળા એકેક આકાશપ્રદેશે તે સર્વ જી કરતાં વિશેષાધિક જીવ પ્રદેશ હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાને આહર મળે, ત્યાં “મધ્યમપદ હોય છે.
આ ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાને ખંડોળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાને આહાર મળી શકે, ત્યાં જ પૂર્ણગોળા ઉત્પન્ન થાય છે. અને એવા. ગોવામાં જ “ઉત્કૃષ્ટપદી હોય છે. આ ખંડગોળા અને પૂર્ણ ગળાને ઉત્પન્ન કરનાર નિગોદ કહેવાય છે. ગેળાઓનું -ડપણું કે અખંડપણું તે અગવાહનાની અપેક્ષાએ નથી પણ સ્પર્શનાની અપેક્ષાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org