________________
196
જૈનતત્ત્વ વિચા
પડે છે. અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતિના વિચાર ઉપર મન સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરત આ રીતે ઘણું સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક પહોંચી શકે છે, માટે શરૂઆતમાં સાધકેએ આ રસ્તો લેવો.
વિચાર કરનારને સૂચના મનને સુશિક્ષિત કરનાર મનુષ્યએ મનમાં જે વિચારે. આવે તેના સંબંધમાં દઢ સાવધાનતા રાખવી જોઈએ.
નિરંતર એ દઢ નિર્ણય કરે કે-“મારે અસદ્દ વિચારે બીલકુલ મનમાં દાખલ થવા દેવા નથી.” કદાચ તે પિસી જાય તો તત્કાળ કાઢી નાંખવા, તેમજ તે ખરાબ વિચારોનાં સ્થાને તેનાથી વિપરીત સારા વિચારેને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે થોડા વખત પછી પોતાની મેળે જ સારા વિચાર કરશે અને અસદુ વિચારે દૂર થશે, માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરે, આપણા મનમાં આવતા વિચારેની જે આપણે પિતે તપાસ કરીશું, તો ખાત્રી થશે કે-જે વિચારોને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ, તે જ પ્રકારના તે વિચારે છે.
પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકુળ જે વિચારે હોય તેનું મન આકર્ષણ કરે છે, માટે જ આપણે નિર્ણય કરવું જોઈએ કે આવા જ વિચારે મારે કરવા અને આવો વિચારે ન જ કરવા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org