________________
મહાસમાધિનાં બીજ
209 અર્થ-અરિહંતના પ્રતિમાલક્ષણ શૈત્યોને વન્દનાદિ કરવા માટે કાર્યોત્સર્ગ કરું છું. વન્દન નિમિત્તે–વન્દન એટલે મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાયેત્સર્ગથી જ મને વન્દનનું ફળ મળે–એમ સર્વત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિ, સન્માન નિમિત્ત, બધિલાભ નિમિતે, નિરૂપસર્ગ–મેક્ષ નિમિત્ત, વધતી એવી શ્રધ્ધાવડે, મેધાવડે, પૃતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે કાર્યોત્સર્ગમાં સ્થિત રહું છું.”
વધતી શ્રધ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા.
શ્રધ્ધા રહિત આમા કાત્સર્ગ કરવા છતાં ઇચ્છિત અર્થની સિદ્ધિ પામતો નથી, માટે “સધાએ ઈત્યાદિ પદે કહેલાં છે.
મહાસમાધિનાં બીજ પાંચ - આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી “અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પોને દુર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું-એ એને પરિપાક છે તથા વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેના પરિપાક અને અતિશયથી પ્રધાન પરેપકારના હેતુભૂત “અપૂર્વકરણ” નામના ગુણ સ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org