________________
335
ચિંતન કણિકા
[ ૪૦૮ ] રોગની સ્થિતિને અનુસારે જેમ રોગીની પ્રવૃત્તિ હાય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણવી છે.
[ ૪૦૯ ] મનુષ્ય પરિણામ ભણી જુએ છે, કારણ ભણી જોવાને પ્રસંગ તત્ત્વ જ મેળવી શકે છે.
[૪૧૦ ] દુ:ખમાં પ્રસન્નતાને અનુભવ કરવો અને સુખને સમાન દષ્ટિએ–મધ્યસ્થપણે વેદવું, એ જ જ્ઞાનીઓને પ્રબોધેલો માર્ગ છે.
[ ૪૧૧ ] જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા.
[ ૪૧૨ ] જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે.
[૪૧૩ ]. - દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ–એ પાંચ કારણેને આભારી છે.
[૪૧૪] પાંચ કારણે મળે ત્યારે કાર્ય થાય. તે પાંચ કારણોમાં મૂખ્ય પુરુષાર્થ છે. અનંતા ચોથા આરા મળે પણ પોતે જે પુરુષાર્થ કરે, તે જ મુકિત પ્રાપ્ત થાય. જીવે અનંતકાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org