________________
ચિંતન કણિકા
251 તેમાં જ અટકી રહ્યો હોય, ત્યાં સુધી તેવા જીવનું કલ્યાણ, થવું દુષ્કર છે.
નિશ્ચય તને સમજનાર જીવ કારણમાં કાર્યને માની લેવાની ભૂલ કરવાથી બચી જાય છે અને કાર્યસિદ્ધિના ખરાં કારણે સમજી અસત્ વ્યવહારથી દૂર રહેવા પ્રયત્ન કરી શકે છે, જેથી વ્યવહાર સાથે નિશ્ચયતત્ત્વને પણ સમજવું જરૂરી છે.
૩૭ ] નિજકલ્પનાએ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજીને અથવા નિશ્ચયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવતે, તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથીઅથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રેકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
[ ૩૮ ] બાહ્ય સાધને મનને સ્થિર કરવાને માટે અવલંબનરુપ છે-એ વાત પાછળથી ભૂલી જવાય છે અને બાહ્ય સાધનમાં જ સર્વસ્વ મનાઈ જવાય છે. સાધનોને ઉદ્દેશ એ જ કેમનને સ્થિર કરી કમે વૃત્તિશૂન્ય કરવું.
[ ૩૯ ] બાહ્ય કિયા એ સદાચાર નથી; પણ સદાચાર ઉત્પન્ન થવાનું સાધન છે. સાધ્ય સિદ્ધ થતું હોય તો તેમાં સાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org