________________
ચિંતન કણિકા
257 વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગદર્શનનું લદર્શક લક્ષણ છે, એટલે કે-સમ્યગદર્શનના ફળને દેખાડવાવાળું–પમાડવાવાળું છે.
[ ૬૦ ] તસ્વરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગદર્શનરૂપ નથી કે સમ્યગદશ નનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાદિ કાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષય, પશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને “સમ્યગદર્શન' કહેવાય છે. તેનું બાહ્ય ચિન્ડ-કાર્યરૂ૫ લિંગ તત્ત્વાર્થ શ્રદ્ધા છે.
[ ૬૧ ] માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાનો છે. માન્યતા એ નીચી કેટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક હેવાથી ઉંચી કોટિની વસ્તુ છે. માન્યતા એ મનુ ધ્યના અમુક પ્રકારના મનનો ભાવ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના ઓત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનને ઉદય થતાં જીવ અને દેહનું આત્મસ્પશી વિવેકજ્ઞાન ખુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ સમ્યગદર્શન’ કહેવાય છે. .
૬૨ ] જેવી આસક્તિપૂર્વકની માન્યતા પિતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસરિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org