________________
318
જૈનતત્ત્વ વિચાર તમામ વચને સાપેક્ષ બોલાય જ નહિ, કારણ કે-મતને આગ્રહને લઈ તેવા મમતને કારણે નિરપેક્ષ વચન બેલે અને તેથી ગમે તેવી ક્રિયા કરતો હોય પણ તેનું ફળ સંસારની વૃદ્ધિ જ છે, માટે નિરપેક્ષ વચનવાળા વ્યવહાર જ કહ્યો છે.
[૩૩૨ ] જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે. અને જે પરમાર્થને બાધક થાય તે અસવ્યવહાર છે. સમસ્ત જિનવાણું પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બધું વચનનિરપેક્ષ વ્યવહાર જ વ્યવહાર છે.
[ ૩૩૩] જ્યારે કોઈ પણ વાતને પક્ષ થાય છે, ત્યારે તે પક્ષને મજબૂત કરવા બોલવું પડે છે. આવા પક્ષગ્રહણ કરેલાઓથી ખરેખરૂં બોલાતું નથી, તેથી જે પક્ષમાં પતે હેય તે પક્ષની પરંપરામાં જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કહ્યું હોય તે જ તે કહે છે અને તેમ ન કરનાર અથવા ન માનનાર ઉપર આક્ષેપ પણ કરે છે. આવા પક્ષપાતીના વચનથી ખરેખરા દેવ, ગુરુ અને ધર્મની ઓળખાણ થતી નથી અને સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શુદ્ધતા ન થઈ એટલે શુદ્ધ શ્રદ્ધા પણ રહેતી નથી.
[ ૩૩૪ ] જ્યારે શુદ્ધ શ્રદ્ધા ન રહી ત્યારે સમ્યકત્વ ન રહ્યું. અને સમક્તિ વિનાની સર્વ કિયા ધૂળ ઉપર લીંપણ કરવા સમાન નિષ્ફળ માની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org