________________
264
જૈનતત્ત્વ વિચાર
[ ૮૭ ] કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામુ છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મકિયા નકામી માની છે.
[ ૮૪ ] - દાનાદિ ક્રિયાઓ કરવાથી મોક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યક્ત્વ જ સહાયક છે.
[ ૮૫ ] સમ્યગૂજ્ઞાન કહે કે અંત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે. ત્યારે તે જલદી જીવને જન્મ-મરણના દુઃખથી મુકત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણું પણ સાથે જ મળી રહે છે. પૂ. ઉ. મ. કહે છે કેકિયા બિના જ્ઞાન નાહિં કબહુ જ્ઞાન ક્રિયા બિનુ નાહિ, ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહેતું હૈ, જલરસ જલમાંહીં.”
[ ૮૬ ] મોક્ષાભિમુખ આત્માઓ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનું જ્ઞાન અલ્પ હોય તે પણ સમ્યગુ. દશન પૂર્વકનું હોવાથી સત્ય જ્ઞાન છે. તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પાષાણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org