________________
વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય
219
વિચાર કરેલા કાચા અને સત્તાના નિરાશા થાય
બળવાન છે, છતાં પણ તેને ક્ષય કરે મુશ્કેલભર્યો નથી. એટલે કે–જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. વિપક્ષ ભાવનાથી મેહનીયકર્મની પ્રકૃતિરુપ કોધ, માન, માયા અને લેભાદિ કષાય. તથા નેકષાયના અનુકમે ક્ષમા, નમ્રતા, નિરાભિમાનપણું સરલપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી ઉપર દર્શાવેલા કક્ષાએ નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કે- તેને માટે બાહ્ય કાંઈ કરવું પડતું નથી. - “મુનિ એ નામ પણ પૂત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયજન વિના બોલવું જ નહિતેનું નામ મુનિપણું. રાગદ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં –બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું જાણવું. પૂર્વે તીર્થ કરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરીને મૌનપણું કારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય. કર્મને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યુ હતુ.
આત્મા ધારે તે સત્ય બોલવું કાંઈ કઠિન નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલાવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું સંસારપરિ. ભ્રમણ મટતું નથી. સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે. અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવાં તે પણ અસત્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org