________________
224
જૈનતત્ત્વ વિચાર
આશ્ચર્ય નથી. પરસ્પૃહા એ જ મહાદુઃખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે.
૧૩. મૌન-(પુગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન) સમ્યક્ત્વ તે જ મૌન અને મૌન તે જ સમ્યત્વ છે. શુદ્ધ શ્રદ્ધાથી નિર્ધાર કરેલ આત્મસ્વભાવની ઉપાદેયતાને વિષે જ ઉપગપરિણતિનું અવસ્થાન તે જ સમ્યક્ત્વ છે અને સમ્ય. ગદર્શનથી હપાદેયતા વિભક્ત કરી ઉપાદેયને વિષે રમણું સ્વભાવ એ જ મૌન છે. એ બન્નેનું ઐકય છે. આત્મા આત્માથી આત્માને વિષે શુદ્ધતા જાણે છે, માટે મુનિની જ્ઞાન અવસ્થા રત્નત્રયીમાં–જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા કરે છે. આત્માના જ્ઞાનમાં રમણ કરનાર જે પુરૂષની ક્રિયા જ્ઞાનમચી છે તેનું મૌન સર્વોત્તમ છે. જેમ વિપરીતગ્રાહી મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા શુદ્ધ મણિમાં પ્રવૃત્તિ કરતું નથી, તેમજ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી અથવા દોષ નિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દર્શન નથી. જેમ પ્રદીપની સર્વ ક્રિયા પ્રકાશ શક્તિવાળી છે, તેમ આત્મસ્વરૂપથી ભિન્ન જેના પરિણામ નથી એવા અનન્ય સ્વભાવવાળાની સર્વ કિયા જ્ઞાનમય છે, તેનું મન સર્વોત્તમ છે.
૧૪. વિદ્યા-તત્વને વિષે જે બુદ્ધિ તેને ગાચાર્યો. એ વિદ્યા કહી છે. આત્મા પરિણામી નિત્ય છે. પુદ્ગલસંગ અનિત્ય એમ જે જાણે છે, તે વિદ્યાવાન જાણ. સમતાના કુંડમાં સ્નાન કરીને કર્મમળને દૂર કરીને જે મલિનતાને પામતો નથી, તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. હું અને મારાપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. સર્વદા ક્ષીર–નીરની જેમ એકરૂપ થઈ રહેલા કર્મ અને જીવને જે વિભિન્ન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org