________________
198
જૈનતત્ત્વ વિચાર
તો તે વસ્તુની ઉત્પત્તિનું મુળ અને તેનું અંતિમ પરિણામ આ એ વિચારે-તપાસે તે વિચાર સ્થાપન કરતાં રાગને મલે વિરાગ થશે, કદાચ કોઈ અમુક પ્રકારના ખરામ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ માંઢ કરી રાખવું અને તે પદ કે સૂત્રનુ વારંવાર મનમાં પુનરાવર્તન કરવું ગણવું–ખોલવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસે પછી તે ખરાબ વિચાર આવતા ખંધ પડશે.
પ્રાતઃકાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે. ઉત્તમ શિક્ષાવાળા પદા કે ભજનાનુ ધીમે ધીમે પઠન કરે. પઠન કરતી વખતે મનના તમામ પ્રવાહ પ્રખળતાથી તેમાં વહન કરાવે અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદો ખોલે. તેનાથી અ ંત:ક રણને દૃઢ વાસિત કરે અને ત્યાર પછી જ બીજું કોઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂં મન કોઇ કામમાં રાકાયેલું હાય, ત્યારે તે પદોનુ પુનરાવત ન તમારૂં મન કર્યાં કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેટા ભાગમાં પણ વાસિત થઈ રહેશેા.
વિચારશક્તિ ખીલવવાની ક્રિયા
વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસા તરફથી આવી ફરિયાદ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ. પણ કાંઇ સારા વિચાર આવતા નથી, અથવા ખરાખ વિચાર વગર તેડવા આવી પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org