________________
204
જૈનતત્ત્વ વિચાર
તે વિચારશ્રેણિ મૂકી દઈ થડે વખત કથાનુગ (મહાપુરૂષનાં ચરિત્રો)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી : અથવા ધ્યાનસમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી શ્રેણિ સાધકે અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી કઈ જૂદા જ પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલા કે કંટાળેલા મનને સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર શ્રેણિમાં વિશ્રાંતિ પામી શકશે.
લય અને તત્વજ્ઞાન જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારને વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર પડે છે. જે તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તો શરીર જેમ પક્ષવાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થાય છે, માટે વિચારકમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી અને છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી એકાગ્રતા દ્વારા “લય” અને “તત્વજ્ઞાન સુપ્રાપ્ત કરવાં.
મનની એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે જે બાબતો ઉપગી જણાઈ છે, તે તે બાબતોની સામાન્ય સૂચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવ્યું છે. સાધકને એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન સુલભ થાય, તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચારશક્તિ ખીલવવી, અનેક સારા વિચારે કરવાને અભ્યાસ રાખવે. આકૃતિ ઉપર કે સગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી અને પછી નિર્વિચાર થવું. છેવટે મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org