________________
66
જનતવ વિચાર
સમ્યગદર્શનની ઉત્પત્તિના નિમિત્તો-સમ્યગ્દશ”ન નિર્સગથી એટલે સ્વભાવિક પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
જગના પદાર્થોને યર્થાથ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને અધ્યાત્મિક અને પ્રકારના અભિલાષોથી થાય છે ધન-પ્રતિષ્ઠા આદિ કોઈ સાંસરિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય તે તે સમ્યગુદર્શન નથી, કેમકે–એનું પરિણામ સંસારવૃદ્ધિ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે તત્ત્વનિશ્ચયની જે રુચિ ફકત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્ગદર્શન છે.
નિશ્ચય અને વ્યવહારદ્રષ્ટિથી પૃથક્કરણ-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માને પરિણામ તે “નિશ્ચય સમ્યકત્વ છે. તે શેય માત્રને તાવિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે અને એ રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મત ત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યક્ત્વ છે.
સમ્યફવના લક્ષણ-સમ્યગુદર્શનની પ્રતિતી કરાવે એવા પાંચ લક્ષણો માનવામાં આવે છે-તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસાર પર કંટાળે), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા) અને આસ્તિકય (આસ્થા) છે.
પાંચ લક્ષણેની સંક્ષિપ્ત વ્યાખ્યા–૧-તત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દેષોને ઉપશમ એ પ્રશમ છે, –મોક્ષને અભિલાષ તે. “સંવેગ” છે, ૩-વિષમાં આસકિત ઓછી થવી તે “નિર્વેદ છે, ૪–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org