________________
અષ્ટ પ્રવચન માતા,
159
(૨) કાળ-ગમનના વિષયને માટે દિવસ જ શ્રી જિને. ધરદેવે કહે છે, પણ રાત્રિ નહિ.
(૩) માર્ગ–ઉન્માર્ગને ત્યાગ કરીને લોકો પુષ્કળ ચાલતાં હોય તેવો માર્ગ.
(૪) ચતના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એ ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે–
૧. દ્રવ્યથી યતના એટલે યુગપ્રમાણ પૃથ્વીને આશ્રીને રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જેવા.
૨. ક્ષેત્રથી યતના એટલે સચિત્તાદિ પૃથ્વીને ત્યાગ કરીને તથા આત્મવિરાધના થાય તેવું સ્થાન વજીને ચાલવું.
૩. કાળથી યતના એટલે જેટલો કાળ ગતિ કરવી તેટલે કાળ ઉપગ રાખ.
૪. ભાવથી યતના એટલે ઉપગપૂર્વક ચાલવુ તે. અર્થાત્ શબ્દાદિક ઈદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને (વાચના–પૃચ્છનાદિને) તજી દઈને ચાલવું તે. કેમકે-તેને ત્યાગ નહિ કરવાથી ગતિના ઉપગને ઘાત થાય છે. ગતિ વખતે બીજે કઈ પણ વ્યાપાર યોગ્ય નથી.
ગતિ વખતે જ ઈસમિતિ રાખવી એમ નહિ, પણ બેઠા બેઠા, હાલતા-ચાલતા ચેષ્ટા થાય છે, ત્યાં પણ ઈય. સમિતિની જરૂર છે.
૨. ભાષાસમિતિ-સર્વ જીવોને હિતકારી અને દોષરહિત પરિમિત વચન હોય તે ધર્મને માટે બોલવું. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા–એ આઠ સ્થાન વજીને ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org