________________
KS
મનને વશ કરવાના ઉપાય
[ ગ સર્વે આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂકયા સિવાય
ગમાં પ્રવેશ થઈ શકતું નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદ બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબતે ઉપરોગી જણાઈ છે, તે તે બાબતેને સંગ્રહ એગ. શાસ્ત્ર વિગેરે માંથી લઈને જણાવવામાં આવેલ છે.]
મનના ભેદ મનનાં ભેદો ચાર પ્રકારનાં છે. ૧વિક્ષિપ્ત, ર. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન,
“વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતિનાં મને હેાય છે અને તેમને વિષય વિકલ્પને ગ્રહણ કરવાને છે.”
વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપે આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org