________________
190
જેનતત્ત્વ વિચાર
ચેગીએ મન, વચન અને કાયાની ચંચળતાને ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કર અને રસના ભરેલા વાસણની માફક આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ.”
રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માફકે) આત્માને નિશ્ચલ ધારી રાખો. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ વાસણમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચનકાયાને જરા પણ ક્ષેભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરે, કેમકે–મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલ છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા “એકાગ્રતા
ર્યા સિવાય બંધ થઈ શકતી નથી અને એકાગ્રતા કરવામાં પણ કમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં લય અને “તત્ત્વજ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખવે અને મનવચન-કાયામાં ક્ષેભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી.
એકાગ્રતા મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કોઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે
પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કોઈપણ જાતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org