________________
160
જૈનતત્ત્વ વિચાર
૩. એષણસમિતિ-અન્ન, પાન, રજોહરણ, વસ્ત્ર, પાત્ર વિગેરે ધર્મ સાધનોની તેમજ ઉપાશ્રયની ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા-એ ત્રિવિધ દેષના નિવારણપૂર્વક ગવેષણ કરવી, તે “એષણાસમિતિ” છે. ટૂંકમાં કહીએ તો જીવનયાત્રામાં ખાસ જરૂરી હોય તેવા નિર્દોષ સાધને મેળવવા માટે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “એષણસમિતિ છે.”
૪. આદાનનિક્ષેપ સમિતિ-ધર્મના ઉપગરણ રજોહરણ, વસ્ત્ર, પાત્ર, પીઠ, ફલક, દંડ વિગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાજન કર્યા બાદ લેવા-મૂકવા, તે “આદાનનિક્ષેપ સમિતિ છે.
પ. પારિપનિકા સમિતિ-જીવજંતુ વિનાની એટલે કે–નિર્જીવ સ્થાન બરાબર જોઈ–પ્રમાઈને ત્યાં મળ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે પારિષ્ઠાપનિકા સમિતિ અર્થાત્ બુસર્ગ સમિતિ” કહેવાય છે.
દષ્ટાંત-કઈ ગચ્છમાં ધર્મરૂચિ નામના સાધુ હતા. તે એક વખત પરેપકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી સ્પંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે માગુ કરવાની શંકા થવાથી પીડા થવા લાગી, તે પીડાથી પ્રાણ જવાની તૈયારી હતી. તેવામાં કઈ દેવતાએ પ્રકાશ દેખાડશે તેથી તેમણે શુદ્ધ થંડિલ (જીવાકુલ વિનાની શુદ્ધ ભૂમિ) જોઈ લીધું. અને લઘુશંકા ટાળી. ત્યાર પછી અંધકાર થયે. તેનું મિથ્યાદુકૃત્ય આપ્યું. એ પ્રમાણે ધર્મરૂચિ સાધુની જેમ પાંચમી સમિતિનું પાલન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાનુસારે કરવું જોઈએ. | ગુપ્રિનું સામાન્ય લક્ષણ-સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનપૂર્વક ત્રણ પ્રકારના રોગોને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org