________________
168
જૈનતત્ત્વ વિચાર
હોય અને તેમાં તેના આત્માના પરિણામની ઉજજવલતા વધતી હોય, તે તેમાથી તેને પાછો પાડે નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું જોઈએ. આઘે પણ કોઈ બાલજીવન પરિણામ કે ધર્મપ્રવૃત્તિથી અથવા ધર્મકિયાથી વધતા હોય તેમાં વિન નાંખવું નહિ, પણ તેના પરિણામની શુદ્ધતા થાય છે તેમ તેના અધિકાર પ્રમાણે કરવું જોઈએ. |||||| |||||||||||||||||||||||ી|||||ળે
મેક્ષને એક જ માર્ગ મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યાં, તે તે સઘળાં પુરુષે એકજ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે તે માર્ગમાં મતભેદ નથી. અસરળતા નથી, ભેદભેદ નથી, માન્ય અમાન્ય નથી, તેનું નામ સમાધિમાર્ગ છે તથા તે સ્થિર અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગ છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ.
શ્રી ભગવાન જિને સહગમે કિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશે એ એક જ માગ પામવા માટે કહ્યાં છે, તે માર્ગને અથે તે કિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગ ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ ID) નિષ્ફળ છે. ||||||||||||||||||||||lalધ્યથિથa
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org