________________
પ્રથમ પગથીયું ન્યાયસંપનવિભવ
175 થવા માટે લોકે ઉપર કાયદા વિરુદ્ધ જુલમ ગુજારે નહિ, મજુરી યા કારીગરીને ધંધે કરતાં રજ લઈ કામ બરાબર કરવું–ખાટું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતો હોય તો પોતાથી વિરુદ્ધ મતવાળાને દ્વેષ બુદ્ધિથી ગેરવ્યાજબી ગુન્હેગાર ઠરાવ નહિ, કોઈ માણસે આપણું બગાડયું હોય તે દ્વેષથી તેના ઉપર ખોટો આરોપ મૂક નહિ અથવા નુકશાન કરવું નહિ.
કેઈને બેટું કલંક દેવું નહિ, ધર્મ અને ગુરુને બહાને પિસા લેવા માટે ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નોકરની સ્ત્રી સાથે અગ્ય કર્મમાં વર્તવું નહિ, ધર્મ નિમિત્ત પિસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવા નહિ, ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ ખાટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે આપણે ધર્મને વાતે જ જુઠ બોલીએ છીએ આપણા કામ માટે જુઠ બોલતા નથી, તેથી તેમાં દોષ નથી એમ સમજી ઊંધુંચત્ત કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પિતાના ખાનગી કાર્યમાં વાપરવા નહિ, કોઈ માણસ નાત જમાડતે હોય તેની સાથે કાંઈ બિગાડ હોય તેથી તેને વરે બગાડવા કાંઈ લડાઈ ઊભી કરવી, પકવાન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કર, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુકિતઓ કરવી, તે પણ અન્યાય જ છે.
પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઈ સલાહ પૂછે તો જાણ્યા છતાં ખટી સલાહ આપવી નહિ, પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org