________________
સાધક માટે એકાન્ત
183
છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, દયાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-દ્વેષ–મેહાદિને પ્રગટ થવાના કારણે હતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કમેને ઉપશમ કે પશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે છે.
વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લે બંધ કરવા જેવું છે. કિલ્લે બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યા જ નથી કે શત્રુનો નાશ થતું નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તે કરવી જ પડવાની છે : પણ તેટલા વખતમાં અશુભ નિમિ. રોના અભાવે મેહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું બળ વ્રત, તપ, જપ, દયાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મને ઉદય નિષ્ફળ કરીને કમની નિર્જર કરે છે. નવા કર્મો ન બાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે જોગવી લેવાં, તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે.
ભગવાન શ્રી મહાવીરદેવની માફક કેઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉદય આવેલા કર્મોને ભોગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે મેડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તાવડે બહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org