________________
જૈન દર્શનમાં મેક્ષમાર્ગ
-
65
હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે–સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમ્યફચારિત્રની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનકમાં પૂર્ણ મેક્ષ અર્થાત્ અશરીર, સિદ્ધિ અથવા વિદેહમુકિત થતી નથી અને ચૌદમાં ગુણસ્થાનમાં શૈલેશી અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણેય સાધનની પરિપૂર્ણતાને બળથી પૂર્ણ મેક્ષ થાય છે.
સાહચર્ય નિયમ–ઉપરના ત્રણેય સાધનેમાંથી પહેલા બે એટલે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છેડીને રહી શકતા નથી તેમ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન એક બીજા સિવાય રહી શકતા નથી, પરંતુ સમ્યફચારિત્રની સાથે એમનું સાહચર્ય અવસ્થંભાવી નથી; કારણ કે સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગુદર્શન અને સમ્ય
જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્કાતિના કમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગ્ગદર્શન આદિ બને સાધન અવશ્ય હોય જ. - સમ્યગદર્શનનું લક્ષણ-તરવાઈશ્રદ્ધા સચીન યથાર્થ રૂપથી પદાથે-મુખ્યતાએ આત્મતત્વને નિશ્ચય કરવાની રુચિ તથા તે ચેતન-આત્મતત્ત્વને નિશ્ચય થવામાં કારણભૂત અછવાદિ–જડ પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org