________________
102,
જૈનતત્વ વિચાર
ક્ષપાતવૃત્તિ, સતશાસ્ત્રવાંચન—વિચાર વિગેરે આત્મિક ગુણેને. સંગ્રહ કરતો જાય તે “સંગ્રહ નયની દૃષ્ટિ કહી શકાય.
૩. મતાગ્રહથી મુક્ત થઈ ને સગુણપ્રેમી બની સદ્ગુરૂની આજ્ઞાએ સત્ સાધને દ્વારા સન્માર્ગની ઉપાસના કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય. ભકિત, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણી વિગેરે સમ્યક્ત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણોની. પ્રાપ્તિ થાય તે “વ્યવહાર નયની દૃષ્ટિ કહી શકાય. આ સિદ્વ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. - ૪. ઉપરોક્ત સવ્યવહારથી અનંતાનુબંધી કષાય તથા. ત્રણ મેહનીય–એ સાત પ્રકૃતિએને ક્ષય વા ક્ષપશમ. કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરુપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત આત્માને આત્માને અનુભવ થાય, તે શુદ્ધ સમકિત વા “બાજુસૂત્ર’ નયની દૃષ્ટિ કહી શકાય. - પ. આત્મની વિશુદ્ધિ થવાથી ઉત્તરોત્તર આત્મશ્રેણીએ ચઢતાં ઘાતિકર્મને ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારુપ ક્ષપકશ્રેણએ ચડતાં, કેવલજ્ઞાનસ્વરુપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે “શબ્દ નયની દૃષ્ટિ કહી શકાય.
૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શકિત બારમા ગુણસ્થાને થાય, તે “સમભિરુઢ નયની દષ્ટિ કહી શકાય.
છે. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે “એવભૂત નયની દષ્ટિ.
તે
અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org