________________
આત્મ વિકાસક્રમ
કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને ‘અપૂર્વકરણ’ કહે છે, કારણ કે—એવું કરણ—પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર ખાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીલ્લિાસની માત્રા કઈક અધિક વધે છે, ત્યારે આત્મા માહની પ્રધાનભૂત શક્તિ-દશ ન માહપર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મ શુદ્ધિને જૈનશાસ્ત્રમાં ‘અનિવૃત્તિકર્ણ' કહેવાય છે, કારણ કે—આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યાં બાદ આત્મા દશ નમેાહુ પર વિજય લાભ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા નથી અર્થાત્ તે પાછે હડતા નથી.
ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ ‘અપૂર્વ કરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે રાગ દ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જો એક વાર આ કાર્યમાં સફલતા પ્રાપ્ત થઈ જાય, પછી વિકાસગામી આત્મા ઉપરની કોઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કોઈને કોઈ વાર પેાતાના લક્ષ્યને—આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિનુ સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દૃષ્ટાન્ત દ્વારા કહેવાય છે.
139>
જેમ કેઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલ ઉપરાંત ચીકાશ પણ લાગેલી છે. તે વસ્ત્રના મેલ ઉપર ઉપરથી દૂર કરવેા એટલેા કઠિન અને શ્રમસાધ્ય નથી, તેટલે ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ દૂર કરવી એ કષ્ટસાધ્ય છે. જો એક વાર ચિકાશ દૂર થઇ જાય તેા ખાકીને મેલ દૂર કરવામાં અથવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org