________________
અધ્યામ વચન
અધ્યાત્મની વ્યાખ્તા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે- આત્માનમથિલ્ય વંચાવાર વારિમા | આત્માને ઉદ્દે શીને પાંચેય (જ્ઞાનાચારાદિ આચારની સાધના કરાવી તેનું નામ “અધ્યાત્મ કહેવાય છે.
આ અધ્યાત્મશાસ્ત્રને ઉપદેશ અમૃત સમાન કહ્યો છે, તેથી પ્રગટ આત્મામાં પરમ શાંતિ અનુભવાય છે અને અનુક્રમે મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન છે. જે વચન એકાંત આત્મહિતને જ અથે પ્રવર્તે છે, જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વીતરાગદેવની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે કિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચનવડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે, તેનું નામ “અધ્યાત્મવચન કહી શકાય છે. જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે અને રથ બે ચકવડે જ ચાલી શકે છે, તેમ “અધ્યામ” પણ શુદ્ધ જ્ઞાનકિયાના સંમેલનથી જ પ્રવર્તે છે, તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org