________________
અધ્યાત્મ વચન
વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતને યથાર્થ વિવેક કરી, જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટ-સિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે કિયાના પક્ષમાં પડી સ્વ–પરને ભારે નુકશાનીમાં ઉતારવાનું બને છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણને અમેઘ ઉપાય છે. જેથી તેમાં જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે. તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પોતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે અધ્યાત્મદષ્ટિ વા “અધ્યાત્મી કહેવાય છે. એવા અધ્યામદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૌકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આત્મા એને આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પરપુગલના અભ્યાસગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એય કઠીનતમ છે. એવા જી પૂ. ઉ. મહારાજે આઠ દૃષ્ટિ પૈકી બીજી તારાદષ્ટિના વર્તતાને જણાવ્યા છે.
એહ દષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે,
ગ કથા બહુ પ્રેમ મનમોહન મેરે આ અધ્યાત્મ વિના પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તે–
અધ્યાત્મ વિણ જે ક્યિા, તે તે તનમલ તેલે; મમકારાદિક યુગથી, ઈમ શાની બેલે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org