________________
[૧] જ્ઞાનદર્શન વિગેરેને પાંચ પ્રકારે જાણવો, તેમાં જ્ઞાનાચાર આઠ પ્રકારે છે. काले विणए बहुमाणे, उवहाणे तहा अणिण्हवणे; वंजण अत्थ तदुमये, अद्वविहो णाण मायारो ॥१॥
કાળમાં, વિનયથી, બહુમાન પૂર્વક, તપશ્ચર્યાની સાથે, ભણનાર ગુરૂને ગુણ ન ભૂલતાં સૂત્ર અર્થ અને તે બને શુદ્ધ ભણે તે આઠ પ્રકારને જ્ઞાન આચાર છે, હવે દર્શન આચાર આઠ પ્રકારને છે તે બતાવે છે. निस्संकिय निकंखिय, निवितिगिच्छा अमूढदिष्टिय उववूह थिरी करणे वच्छल्ल पभावणे अट्ट ॥२॥
શંકા રહિત, અન્યમતની વાંછા રહિત, સંદેહ રાખ્યા વિના, અમૂઢ દ્રષ્ટિપણે, ભાવ ચડાવી, પડતાને સ્થિર કરીને, બંધુભાવ રાખી, તન, મન, ધનને, સદુપયોગ કરી, જૈન ધર્મને પ્રભાવ વધારે છે તે દર્શનાચાર આઠ પ્રકારને છે. હવે ચારિત્રાચાર આઠ પ્રકારને છે તે બતાવે છે. तिन्नेवय गुत्तीओ पंचसमिइओ अट्ठमिलि याओ पयवण माई उ इमा, तासुठिओ चरण संपन्नो ॥३॥
ત્રણ ગુપ્તિ તે મન, વચન, કાયાને, પાપ વ્યાપારમાં કે ધર્મના સરાગ વિષયમાં ન રોકવું તે ગુપ્તિ છે. અને