Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 269
________________ રિપ૪] છે, અને તેની સિદ્ધિને માટે દુર્ગાદિ દેવીઓ જે માગે તે આપે છે. અથવા જેણે ઝેર ખાધું હોય, તે માણસને હાથીને મારીને તેના શરીરમાં નાખે છે અને પછી વિષ ઝરી (પચી) જાય છે. તથા અજનને માટે ચિત્તા, વાઘ, સિંહ વિગેરેને મારે છે. એ પ્રમાણે માંસ, લેહી, હૈયું, પિત્ત, ચરબી, પીછાં, પુછડું, વાળ, શીંગડાં, વિષાણ દાંત, દાહ, નખ, સ્નાયુ, હાડકાં, અને હાડકાની મિંજઝા, વિગેરેમાં પણ કહેવું, કે માંસને માટે ભુંડ વરાહ (સૂઅર) વિગેરે મારે , છે, તથા ત્રિશૂલ આળેખવાને માટે લેહી ગ્રહણ કરે છે. સાધના કરનારાઓ હદયને લઈને વેલવે છે. પિત્તને માટે મિર વિગેરે હણે છે, વસાને માટે વાઘ મઘર ભૂંડ વિગેરે તથા પીછાંને માટે મર ગીધ વિગેરે, પુંછડાંને માટે રેઝ નામનું જનાવર વિગેરે, વાળને માટે ચમરી ગાય વિગેરે શગને માટે હરણ ગેડ વિગેરે માટે છે. કારણ કે તે શીંગડાંઓને યાજ્ઞિક (યજ્ઞ કરનારાઓ) પવિત્ર ગણે છે અને તેઓ ઉપયોગમાં લે છે. વિષાણને માટે હાથી, વરાહ તથા શુંગાલ વિગેરે માટે છે. (અહીં વિષાણના શીંગડું હાથીદાંત તથા સૂકરને દાંત એમ ત્રણે અર્થ થાય છે) તેના દાંત અંધકારને નાશ કરતા હોવાથી તે ઉપયોગને માટે મરાય છે. દાઢને માટે વરાહ વિગેરે, નખને માટે વાઘ વિગેરે, સ્નાયુને માટે ગાય ભેંસ વિગેરે, અસ્થિને માટે

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295