________________
[૨૨૨) પાણી પગને રેગ છે તેમ ગાયન વિગેરેને રસ તે સંસારનું કારણ હોવાથી તે સંસાર છે. સૂત્રમાં એક વચન હવાથી એમ સૂચવ્યું કે જે પુરૂષ ગાયન વાજીંત્ર વિગેરેને રસીઓ થાય, તે આવર્તમાં પડે છે, અને જે આવર્ત ( સંસાર ) માં પડે છે, તે શબ્દાદિને રસી થાય છે, અહીં ઉઘતા ચંચુ ( વાચાલ) પુછે છે કે પ્રયાગ આમ કરે, કે જે ગુણમાં વર્તે તે આવર્તમાં વર્તે, પણ જે આવર્તમાં વર્તે તે ગુણમાં વર્તજ એ કાંઈ નિયમ નથી, કારણ કે સાધુઓ આવર્તમાં છે, પણ ગુણમાં નથી, તેનું કેમ? આચાર્ય કહે છે તમારું કહેવું સત્ય છે. આવર્તમાં યતિ ( સાધુઓ ) રહે છે પણ તેઓ ગુણ (ગાયન) માં પ્રવર્તતા નથી, પણ રાગ દ્વેષ પર્વક ગુણેમાં જે તે, તે અહીં લેવા અને સાધુઓને તેને અભાવ હોવાથી ન હોય અને તેમને સંસાર રૂપ આવર્ત દુખ ન હોય, પણ સામાન્યથી સંસારમાં પડવું, અને સામાન્ય શબ્દો વિગેરે ગુણો પ્રાપ્ત થવા સંભવે છે. તેથી ઉપલબ્ધિને નિષેધ નથી પણ અહીં રાગદ્વેષના પરિ ણામવાળે જે ગુણ ( રસ ) હોય તેને સ ધુને નિષેધ છે, તેમજ કહ્યું છે. कण्ण सोक्नेहिं सहहिं पेम्भ नाभिनि वेसए
વિગેરે સૂત્ર છે. કાનને સુખ આપનાર શબ્દોમાં (સાધુ) પ્રેમ ન કરે
વિગેરે તથા :