________________
[૧૮] પણ ઘણુંજ તરશથી પીડાતા પિતાના શિષ્યને તે પાણી પીવાની આજ્ઞા ન આપી તથા અચિત્ત તલનું ગાડું સ્થીિં. લના પગિની અનુજ્ઞા અનવસ્થા દેશના રક્ષણ માટે ન આપી શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું બતાવવા માટે, કારણ કે સ્વભાવથી અચિત્ત અપકાય કેવળ જ્ઞાનથીજ જણાય, પણ શ્રતજ્ઞાનથી ન જણાય, અને સાધુઓને શ્રુતજ્ઞાનપણે ચાલવાનું હોવાથી તેજ પ્રમાણે કર્યું, જેમકે સામાન્ય શ્રુતજ્ઞાની હત્ય તે બાહ્ય ઈન્જનના સંપર્કથી ગરમ થયેલું તેજ અચિત્ત જળ છે એમ માને છે. પણ લાકડાના તાપ વિના પાણી પિતાની મેળે અચિત્ત નજ થાય એમ વ્યવહાર છે. બાહ્ય શસ્ત્રના સંપર્કથી જુદા પરિણામને પામેલું એટલે તેને વર્ણ ગંધ વિગેરે બદલાય તે અચિત્ત થયેલું કહેવાય, અને તેજ સાધુએને વાવવું કપે, હવે તે શસ્ત્રો બતાવે છે. ... सत्थं चेत्थं अणुवीइ पासा, पुढो सत्थं पवेइयं ( ૦ )
જેનાથી પ્રાણીએ શસ્ય થાય (મરાય) તે શસ્ત્ર, તે ઊંચે ચડાવવું ગાળવું ઉપકરણ ધોવા અને પિતાની કાયા વિગેરેથી જે પૂર્વ અવસ્થાથી વિલક્ષણ રૂપવાળા થવું, તે જેના વડે થાય, તે પાણીનું શસ્ત્ર કહેવાય, જેમકે અગ્નિ પુદ્ગલ અંદર જવાથી ડું પિંગળ (પીળું) પાણી ગરમ થાય છે, તે ગંધથી પણ ધુમાડાના ગંધ જેવું થાય છે. રસથી પણ