________________
[૧૭૫ વળી જેઓ વિભૂષાસૂત્ર બતાવે છે, તેના અવયવમાં પણ પ્રશ્ન પૂછતાં ઉત્તર દેવાને તેઓ સમર્થ નહિ થાય, જેમકે અમે કહેશું કે-ચતિને ચગ્ય સ્નાન નથી, કારણકે આભૂષણની માફક તે કામાંગ છે. અને સ્નાનમાં કામાંગતા સર્વ જન પ્રસિદ્ધ છે. કહ્યું છે કેस्नानं मददर्प कर कामांगं प्रथम स्मृतम् । तस्मात्कामं परित्यज्य नैवस्नांति दमेरताः ॥ १॥
સ્નાન, મદ અને દર્પ કરનારું છે, અને તે કામનું પ્રથમ અંગ કહેલું છે, તેથી કામને છેડીને ઇન્દ્રિયના દમનમાં રહેનારા સ્નાન નથી કરતા, વળી શૈચને માટે પણ પાણી પુરૂં નથી, કારણ કે તે પાણીથી ફકત બાહ્યા મલજ દૂર કરાય છે, પરંતુ અંદર રહેલે કમને મેલ દૂર કરવા માટે પાણું સમર્થ નથી, તેથી શરીર વાચા અને મને તેમની અકુશળ વર્તણુંક રેકવારૂપ ભાવ શાચજ કર્મ ક્ષય કરવાને સમર્થ છે, પણ તે પાણીથી સાધ્ધ થાય તેમ નથી. :
પ્રશ્ન–શા માટે પાણી સમર્થ નથી? ઉત્તર-સર્વ પદાર્થો અન્વય વ્યતિરેકને આશ્રી છે. કારણ કે પાણીમાં રહેનારાં માછલાં વિગેરે પાણીમાં સદા સ્નાન કરતા હોવા છતાં પણ તેઓનું માછલાપણું દુર થતું વથી અને પાણીથી સ્નાન નહિ કરનાર મહર્ષિઓ વિચિત્ર તપ વડે સંસાર ભ્રમણનું કર્મ હણે છે, તેથી એ સિદ્ધ થયું કે