________________
[૧૫૦] વિશેષણ લેવાથી પ્રસવણ વિગેરેને નિષેધ જાણ. તેજ પ્રમાણે બીજું અનુમાન પ્રગથી બતાવે છે. - અંડામાં રહેલા કલલની માફક પ્રાણનું દવપણું નાશ નથી થયું તેથી તે પાણું સચેતન છે. તથા પણ જીવ શરીર છે. કારણ કે, છેદી શકાય છે, ભેદી શકાય છે, ઉરાડી શકાય છે, પી શકાય છે, ભગવાય છે. સુંધાય છે, સ્વાદ લેવાય છે, સ્પર્શ કરાય છે, દેખાય છે અને દ્રવ્યપણે છે. આ બધા શરીરના ધર્મો પાણીમાં છે માટે તે ચેતન છે. (આ બધે સંબંધ બતાવીને પાણી એ જીવે શરીર છે એમ બતાવ્યું.) અને આકાશ વર્જિને ભૂતના જે ધર્મ તે રૂપ આકાર વિગેરે પણ લેવા. સર્વ જગાએ આ દષ્ટાંત છે. સાસ્તાવિશાણ ( ) ના સમૂહની માફક જાણવું
શકા–રૂપપણું, આકારપણું, વિગેરે ધર્મો પરમાણુઓમાં પણ છે. તેથી તમારે હેતુ અનેકાંત દોષવાળે છે.
ઉત્તર–એમ નથી કારણ કે અહિં છે, છેદ્યત્વ વિગેરે હેતુ પણ સાથે લીધેલા છે અને તે બધું ઈન્દ્રિયના વ્યવહારને અનુપાતી ( સાથે રહેનારા) છે. તે પ્રમાણે પરમાણુ નથી. આ પ્રકરણથી અતીન્દ્રિય પરમાણુને વ્યવછેદકર્યો. ' અથવા વિપક્ષજ નથી કારણ કે સર્વે પુલ દ્રવ્યોનું દ્રવ્યશરીરને સ્વીકાર કર્યો છે. અને જીવ સહિત અને નજીવ સહિત આટલું વિશેષ છે. કહ્યું છે કે