________________
[૫૫] મલિક અને બુન, તળીઆ) ના આકારે જતી વિશાળ થાય છે. આ બધાનું તાત્પર્ય યંત્રથી જાણવું (યંત્ર મળ્યું નથી) હવે ભાવ દિશા બતાવે છે. मणुया तिरिया काया,तहडग्गबीया चउकगा चउरो देवा नेरइ यावा, अट्टरसहोति भावदिसा ॥६०॥
મનુષ્યના ચાર ભેદ થાય છે (૧) સંમૂઈનજ (પુરૂષાદિકના મળ મૂત્રથી જન્મેલા) (૨) કર્મ ભૂમિના ગર્ભજ (૩) અકર્મભૂમિના ગર્ભજ (૪) અંતદ્વપના ગજ, તે પ્રમાણે તિયામાં બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇક્વિવાળા, ચાર ઇદ્રિયવાળા અને પાંચ ઇન્દ્રિયવાળા એ ચાર ભેદે છે. અને પૃથિવી, પાણી અગ્નિ, વાયુ, એ ચાર કાયા છે. તથા વનસ્પતિકાયમાં, અગ્ર, મૂળ, સ્કંધ અને પર્વ, એ ચારમાં જ્યાં બીજ હોય તે બીજ પ્રમાણે ચાર ભેદ થયા. તેમાં નારકીય અને દેવને ઉમેરતાં અઢાર ભેદે જીવને વ્યપદેશ કરાય છે (આ અઢાર ભેદે જીવ બતાવ્ય) ભાવ દિશા તે પ્રકારે અઢાર જાણવી અહિં સામાન્ય દિશાનું ગ્રહણ છતાં જે દિશામાં જીને. અવિજ્ઞાન (મ અટકવા ) પણે ગતિ આગતિ સ્પષ્ટ કરી તે સર્વત્ર સંભવે છે. તે દિશાવડે આપણે અધિકાર છે તેથી તેને જ નિતિકાર સાક્ષાત્ બતાવે છે. કારણ કે ભાવ દિશાથી અવિનાભાવી (સાથે જ રહેનારી ) પ્રસંગના સામર્થથી અધિકૃતજ છે તેથી તેને માટેજ બીઈ દિશાએ ચિંતવીએ છીએ.