________________
( ૩૭ ) તથાપિ આપના તત્વમય મુખે તેની વ્યાખ્યા સાંભળવાની મારી ઈચ્છા છે, તે આપ કૃપા કરી મને સંભળાવશે.
વસ્તુસ્વરૂપે વિશેષ આનંદિત થઈને કહ્યું, હે તવ પ્રેમી પ્રવાસી, સાવધાન થઈને એ તાત્વિક કવિતાને ભાવાર્થ સાંભળ –
વિચક્ષણ ચેતન પુરૂષ (જીવ) કહે છે કે હું સર્વદા એકપણે રહું છું, હું હમેશાં ચેતના રસ વડે ભરપૂર છું. મારે કઈ બીજાને આધાર નથી, હું મારા પિતાનાજ આધારથી રહું છું, જે આ વિવિધ જાતના મેહને પ્રપચ છે, તે મારું સ્વરૂપ નથી, આ ભ્રમરૂપ કૂપક છે, તે મારું સ્વરૂપ નથી, જે શુદ્ધ ચેતનાને સમુદ્ર છેતે મારૂં રૂપ છે .
જ્યારે જીવને પિતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે ઉપર પ્રમાણે વિચાર કરે છે અને તે વખતે તેની મને વૃત્તિ ઘણીજ ઊંચા પ્રકારની થાય છે. ગાતા જીવને પિતાનું સ્વરૂપ જાણ્યા પછી કેવી અવસ્થા થાય છે તેનું આગમમાં સારું વર્ણન કરેલું છે. જેને સાર આ પ્રમાણે છે. જ્યારે જીવને તત્વની પ્રતીતિ થાય છે ત્યારે તે પિતાના જ્ઞાનાદિક ગુણમાં અને બીજાને દ્રવ્ય ગુણ કે જેમાં ગતિ, સ્થિતિ, અવગાહ, વર્તન અને વર્ણાદિક—એ સર્વની પ્રતીતિ રહેલી છે, તે સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણ ગુણને વિષે તે પરિણમી રહે છે. નિર્મળ તત્વને વિવેક આવ્યાથી તે વિશ્રાંત થઈ સ્થિરતા પામે છે. અને તે સ્થિરતાને લઇને તે પોતાના સહજ સ્વભાવને શોધી લે છે. તે વખતે આત્મસ્વરૂપ અર્થરૂપ પુરૂષાર્થનું ગ્રહણ કરતા તે જીવ સહજ સ્વભાવમાં આવે છે અને તેથી રાગદ્વેષ મેહરૂપી વિભાવ કે જે તેનામાં અનાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com