________________
૪૫૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
પ્રભુએ એનું સમાધાન કરતાં કહ્યું–જે “હું” શબ્દનો વાચ્યાર્થ છે, તે આત્મા છે.”
સ્વાતિદત્ત ફરીથી જિજ્ઞાસાથી પૂછયું–આત્માનું સ્વરૂપ અને લક્ષણ શું છે?”
પ્રભુએ સમાધાન કરતાં કહ્યું – તે અત્યંત સૂક્ષ્મ છે, અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે રહિત છે તથા ચેતના ગુણથી યુક્ત છે.
પ્રશ્ન ઉત્પન્ન થયે-સૂમ શું છે?” ઉત્તર આ જે ઈન્દ્રિયોથી જાણઓળખી ન શકાય તે.”
ફરીથી જિજ્ઞાસા પ્રસ્તુત થઈ કે-“શું આત્માને શબ્દ, રૂપ, ગંધ અને પવનની જેમ સૂક્ષમ ગણી શકાય?” પ્રભુએ સ્પષ્ટીકરણ કર્યું“ના, તે ઈનિદ્રયગ્રાહ્યા છે. શ્રેત્ર-કાન દ્વારા શબ્દ, નેત્રદ્વારા રૂપ, નાક દ્વારા ગંધ અને સ્પર્શ દ્વારા પવન ગ્રાહ્ય છે. પણ જે ઈન્દ્રિયગ્રાહ્ય નથી તે સૂમ છે.
પ્રશ્નઃ “શું જ્ઞાનનું નામ જ આત્મા છે?”
ઉત્તરઃ “જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાનનો આધાર આત્મજ્ઞાની છે. ”
સ્વાતિદત્ત-“ભગવન ! પ્રદેશન શું છે? મહાવીર–પ્રદેશનને અર્થ-ઉપદેશ થાય છે. તે ધર્મ સંબધી પણ ५च्चकखाणे दुविहे-मूलगुणपच्चकखाणे य उत्तरगुणपञ्चकखावे य । एतेहि पदेहि सव्व तस्स उवागत ।
–આવ. ચૂર્ણિ. ૩૨૦-૩૨૧ (૧) આવ. હરિભદ્રીય વૃત્તિ ૨૨૫-૨૨૬ (ડ) આવ. મલય. વૃત્તિ. ૨૯૭ (ચ) મહાવીર ચરિયં ૭, ૨૪૮ (ગુણ) (૭) ત્રિષષ્ટિ. ૧૦, ૬૦૫-૬ ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org