________________
શબ્દ-કોષ
૧૪૭
(૭) છેદ–દીક્ષા-પર્યાયને એ કર. આ પ્રાયશ્ચિત અનુસાર જેટલે પર્યાય છે કરવામાં આવે એટલી અવધિમાં દીક્ષિત લઘુ-સાધુ દીક્ષા પર્યાયમાં આ દેષથી મુક્ત થઈ જાય છે.
(૮) ભૂલ–ફરીથી દીક્ષા લેવી. (૯) અનવસ્થાપ્ય–તપવિશેષ પછી ફરીથી દીક્ષા લેવી.
(૧૦) પારચિક–સંઘ બહિષ્કૃત શ્રમણ દ્વારા એક અવધિ વિશેષ સુધી સાધુ-વેષ પરિવર્તિત કરી લોકોની વચ્ચે પોતાની આત્મ-નિંદા કરવી.
પ્રીતિદાન–ભગવાન આદિ પધાર્યા હોય એને શુભ સંદેશે આપનાર અનુચરને આપવામાં આવતું દાન.
બંધ–આત્માની સાથે કર્મ-પુગલેને ઘનિષ્ઠ સંબંધ થવો તે. બાદર કાય-ગ–સ્થલ કાયિક પ્રવૃત્તિ. બાદર મન-મ–સ્થૂલ માનસિક પ્રવૃત્તિ. બાદર વચન-ગ–સ્કૂલ વાચિક પ્રવૃત્તિ. બાલ તપસ્વી—અજ્ઞાનપૂર્વક તપનું અનુષ્ઠાન કરનાર. બાલ-મરણ–અજ્ઞાન દશામાં મરણ.
ભકતપ્રત્યાખ્યાન–સંકટ ઉપસ્થિત થયું હોય ત્યારે કે ન થયું હોય ત્યારે પણ જીવન પર્યન્ત ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ કરે. - ભદ્રપ્રતિમા–ધ્યાનની સાથે તપ કરવાનો એક પ્રકાર. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ મેં કરીને ક્રમશઃ પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર સુધી ધ્યાન કરવું. આ પ્રતિમા બે દિવસની હેાય છે.
ભવ્ય–જેમાં મેક્ષ પ્રાપ્ત કરવાની યેગ્યતા છે.
મંખ–ચિત્રફલક હાથમાં રાખીને આજીવિકા ચલાવનાર ભિક્ષુક-ભિક્ષાચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org