________________ 36 પર વૈરાગ્ય દઢ કરે છે, તથા એવા સંસારમાંથી છૂટવા માટે પોતે ઊઠીને કુમારને મનાવવા જાય છે, જેથી એ રાજ્યગાદીની જવાબદારી સંભાળી લે એટલે પોતે છુટા થઈ શકે. ત્યાં પણ કુમાર પાસે જતાં કુમારે કશું સાંભળ્યા વિના તરત જ સીધે એમના શરીર પર તલવારને ઘા ઝીક! છતાં રાજા કેપ્યા નહિ, મન ન બગાડ્યું, વૈરાગ્ય બાજુએ ન મૂકો, પણ વૈરાગ્ય વધુ દઢ ર્યો અને સમતા-ઉપશમભાવમાં રહે છે. ભવસ્વરૂપના જ્ઞાનથી ભવને નિર્ગુણ જાણી એના પર નફરતવાળા, વૈરાગ્યવાળા બનેલા છે, એ વૈરાગ્યને હવે ઘરના સંસારના વાંકે મોળો પડવા દેવે નથી. સમજે છે કે - બીજાના વાંક પર આપણે વૈરાગ્યભાવસમતાભાવને આપણે જ મેળે પાડવે એ સરાસર મૂર્ખાઈ છે. આ બહુ મોટી સમજ છે. ધ્યાન રાખજે - આ સમજ આવા ઊંચા માનવ અવતારે આવી શકે છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે આ માનવ અવતાર સંસાર-સમુદ્રની સપાટી પર અવતાર છે એટલે જ | હે માનવ! સમુદ્રમાં ઊંચે આવેલ તું “મા પુણ્ય નિબુફિજજ” ફરીથી નીચે ડુબવાનું "