________________ 183 કરી એ પાપિની સામે ધર્મની આ ભૂખ, આ તમન્ના, આ કુદર, ઊભી કરવાની છે. ધર્મની ભૂખ કેવી કે પહેલાં જેવા રસથી પાપ ખપ્યાં, એવા રસથી હવે ધર્મ જ ખપે; ધર્મની તમન્ના કેવી, કે પહેલાં પાપ કરતાં પાછું વળીને જોયું નથી, હવે ધર્મ કરતાં પાછું વળીને જેવું નથી, ધર્મની કદર કેવી, કે પહેલાં પાપ વિના ચાલે જ નહિ” કરેલું, તે હવે ધર્મ વિના ચાલે જ નહિ” એમ કરવું છે. પ્રબળ પાપ સંતાપ પર આ સહેજે આવે. ઉબુડો મા પુણો નિબુદ્ધિજજા. ચરણ-કરણ વિષહણે બુદુઈ સુબહુપિ જાણું તે” જ્ઞાનીને આ ઉપદેશ કે “સંસાર-સમુદ્રમાં ઊંચે આવેલે તું હવે ફરી પાછે નીચે ડબવાને ધંધે ન કરીશ. યાન રાખજે, ચારિત્ર અને એના આચારવિચાર વિનાને માણસ ડુબી જાય છે, પછી ભલે એ સુબહુ પણ જાણકાર હોય.” એના પર મહારાજા કુમારપાળ, 18 દેશના સમ્રાટ છતાં, શ્રાવક જીવનનાં કેવા બારવ્રતરૂપી ચારિત્ર અને એના આચાર-વિચારના પાલક હતા! એ આપણે વિચારતા હતા એમાં કારણ તરીકે એમની પૂર્વ