________________ 28 “ઉબુડે મા પુણે નિબુફિજજા” જ્ઞાનીને આ ઉપદેશ કે માનવભવ પામ્યું એટલે સંસાર સમુદ્રમાં બહુ ઊંચે સપાટી પર આવી ગયું, હવે નીચે ડુબવાને ધંધે ન કરીશ. ધ્યાન રાખજે કે “સુબહુપિ જાણું ચરણ-કરણહણે બુઈ” અર્થાત્ ઘણું બધું જાણતા હોય છતાં જો એ ચરણ-કરણ રહિત છે, અર્થાત એને “ચરણ” એટલે કે શ્રાવક કે સાધુ ધર્મના મૂળ ગુણે અહિંસા સત્ય વગેરેના વ્રત નથી; તેમજ “કરણ” એટલે એના પિષક ઉત્તરગુણ ધર્મકરણ–ધર્મ આચાર-વિચાર નથી. તે એ ભવસાગરમાં નીચે ડુબી જાય છે! માટે માણસનું આ કર્તવ્ય છે કે ચરણ-કરણની ખૂબ સાધના કરવી, અને તે પણ (1) અત્યંત કર્તવ્ય માનીને કરવી, તે પણ (2) એમાં વારેવારે અહોભાવ લાવીને અને ગદગદ દિલથી કરવી, તે પણ (3) નિરાશંસ ભાવથી કરવી એટલે જ સાધનામાં ભારે જેમ–ઉત્સાહ-ઉલ્લાસ લાવીને કરવી, તે પણ () આહારાદિ પાપસંજ્ઞા કે પાપિષ્ઠ કષાયસંજ્ઞાને તદ્દન અટકાવીને કરવી.... આ વિષય અહીં સમાપ્ત થાય છે, એના નિરૂપણમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય તે એને મિચ્છામિ દુક્કડં કરું છું