________________ રર૧ તિરસ્કાર, ભૂખમરે વગેરે પર ભારેમાં ભારે અણગમે હતે, એ બધું લમણે લખાયાને અતિશય હદયસંતાપ હતે, તેથી હવે લાખની કિંમતનું રત્નોનું નિધાન નજરે પડતાં હરખ એટલે બધે ઉલ કે હૈયું ભારે ગદ્દગદ થઈ ગયું ! આંખે લાલ પીળાં આવી જાય છે ! હદયના તાર ઝણઝણે છે! રગેરગમાં લોહી ઝડપથી વહી રહ્યું છે! રોમ રોમ ખડા થઈ ગયા છે! મન એમ ઉછાળા મારી રહ્યું છે કે “અહાહાહા ! આ શું ને શું મને મળ્યું? મને ને આ અણમોલ નિધાન?' પણ આ બધું કયારે? ભિખારીને પિતાની નિર્ધનતા વગેરે પર ભારે ફિટકાર–ગ્લાની-સંતાપ હતું ત્યારે, આત્માની કઈ ભિખારવી દશા પર સંતાપ એવી રીતે કર્મવિડ બિત પિતાની સ્થિતિમાં પરિગ્રહ, વિષ, આરંભ-સમારંભે અને કષાયોરૂપી ભિખારવી દશા પર ભારે ફિટકાર–તિરસ્કાર-ગ્લાનીસંતાપ હોય તે ધર્મસાધના રૂપી રત્નનિધાન મળતાં હરખને પાર ન હોય, કે “અહો ! આ કેવી તાવિક તારણહાર ધર્મસાધના મળી ! એમ આંખે લાલ પીળા આવી જાય, હૈયાના તાર ઝણઝણે, નાડીઓમાં લેહી ઝપાટાબંધ વહેવા માંડે, અને આમરાજી ખડી થઈ જાય ! ત્યાં હૈયાને ગદ્ગદતાને પાર ન રહે.