________________ 21 વિશ્વાસ રાખી “યહોમ કરીને પડે ફરહ છે આગે.” એ સૂત્રાનુસાર નિયમના પુરુષાર્થમાં ઝંપલાવવાનું છે, માટે એને નિયમના પુરુષાર્થનું સાહસ કહેવાય, - નિયમ માટે રૂચિ, અવશ્ય કર્તવ્યતાનું ભાન, તથા પાકી ગરજ જરૂરી: અસલમાં, વસ્તુની પૂરી રુચિ જોઈએ. વસ્તુ અવશ્ય કરવા જેવી લાગવી જોઈએ અને એની પાકી ગરજ જાગવી જોઈએ. પછી એના પુરુષાર્થનું સાહસ સહેજે થઈ આવે. રાજા વાઘને આ રુચિ જાગી છે, પાકી ગરજ જાગી છે, કેમકે એણે ન દેખ્યાનું દેખ્યું, શિકારી અવસ્થામાં દેવ-ગુરુ-ધર્મની કશી એને જાણકારી નહતી, તે જાણકારી અહીં મળી, એટલે એના પર અત્યંત અહોભાવ થઈ આવ્યું છે! એના મનને થયું કે અહ! મારા જેવા પાપી આત્માને આ દેવાધિદેવ અને આવા સદૂગુરુની પ્રાપ્તિ! આવી ધર્મસમજની પ્રાપ્તિ!' આ અહંભાવમાં એણે આ “દેવ-ગુરુ સિવાય બીજાને નમું નહિ, એવા નિયમના પુરુષાર્થનું સાહસ કર્યું છે, અર્થાત નિભક અને નિઃશંકપણે નિયમ એટલે જુઓ, મેટા રાજાને ક્યારેક ન છૂટકે