________________ વિના નહિ. માટે જ અહીં જ્ઞાન મહાપુરૂષે કહ્યું કે “સુબહુપિ જાણું તે-બહુ જાણકાર હોય પરંતુ ચરણ-કરણની ક્રિયા કરે તે જ સંસાર સાગરમાં નીચે ડુબે નહિ. એ ક્રિયા વિનાને ડુબી જાય છે. અહીં એક પ્રશ્ન ઉઠે છે,શરીરની ક્રિયા અને આત્મપરિણુતિ પ્ર- કિયા તે શરીરની છે. શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, દા. ત. કસરત એ શરીરની કિયા છે. માણસ કસરત કરે તે શરીરને લાભ થાય છે. આત્માને લાભ શી રીતે? આત્માને લાભ તે શુભ ભાવથી શુભ પરિણતિથી થાય; ને એ શુભ ભાવ જ્ઞાનથી જાગે છે. ત્યાં શરીરની ક્રિયા શી રીતે લાભ કરે? ઉ– ત્યારે અહીં આનું રહસ્ય સમજવા શરીરની ક્રિયાથી આત્માને લાભ શી રીતે? મૂળ વાત એ સમજી લેવાની છે કે આત્માની ઉન્નતિ-અવનતિ આત્માની શુભ-અશુભ પરિણતિ યાને શુભાશુભ ભાવ ઉપર મપાય છે.