________________ 95 અશાતા કર્મ અઘાતી કર્મ છે, અઘાતી કર્મ આત્મ ગુણને ઘાત ન કરે. તે ખેદ શા સારુ કરે? વળી ભવિષ્યની દૃષ્ટિએ આ વ્યાધિથી એ કર્મ ભેગવાઈને ક્ષય પામતું ચાલે છે, કચરો સાફ થતો ચાલે છે, એ મહાન લાભ છે. તે આનંદ કેમ ન માને? અલબત્ મુનિ બિમારીમાં દવા શા માટે કરે ? (1) મંદવાડમાં પિતાનો પૂર્વ પ્રાપ્ત કૃત-શાસ્ત્રધ ખંડિત થતું અટકે, (2) નવા શ્રુતની પ્રાપ્તિ થઈ શકે એવી હોય તે મંદવાડના લીધે અટકે; તે ન અટકે (3) મંદવાડથી બીજાઓને શ્રુતદાન–જ્ઞાનદાનમાં થતા અંતરાય અટકે; એમ, (4) સાધુવૈયાવચ્ચમાં અંતરાય થતું અટકે. એ માટે મુનિ દવા-ઉપચાર લે છે, પરંતુ એમાં વ્યાધિની વેદના સહન કરવાથી ભાગવાની વૃત્તિ નથી; કેમકે વ્યાધિના શૈકાલિક સ્વરૂપને યથાર્થ રીતે આમ વિચારતા હોય છે (1) વ્યાધિની પાછળ ભૂતકાળમાં અહિંસાદિ દુષ્કૃત્ય અને મન-મલિનતા સેવી છે એ મનમાલિન્ય હવે ન સેવાય;