________________ 165 એટલે હવે જે એ પાપ હોવા છતાં ધર્મજીવનને ટકાવવા માટે ખાવું પડે છે તે ખાવાના પાપ ઉપર રસના અને રાગના પાપ કેટલા વધારવા? - એ ખાસ વિચારવા જેવું છે. રસના પાપ ભૂંડા છે, કેમકે નથી ને પછીથી કદાચ એ કઈ ભૂંડને કે પેટના કૃમિ વગેરેને અવતાર મળે તે વિષ્ઠાને જ રસ બહુ મીઠે લાગશે! નહિતર તે વિચારે ને કે ભૂંડને કે કરમિયાને આવી તદ્દન ગંદી વસ્તુ કેમ ગમે? મનુષ્યપણે એ જીવને કાંઈ વિષ્ઠાના રસને આનંદ હતું નહિ, પરંતુ કહે કે મૂળમાં ખાટામીઠા-તીખા રસને રાગ ભારે, તે રસને રાગ અહીં કનડે છે, ને ભૂંડના અવતારે મેલાના રસને, ને કાગડાના અવતારે માણસના લીંટ-બળખાના રસને, ને ગધેડાના અવતારે ઉકરડાના મલિન પદાર્થોના રસને રાગ લગાડી દે છે. વારસે માત્ર રાગને, પછી એ રાગને વિષય ગમે તે હે; અર્થાત્ જે ભવ તેવા વિષયને રાગ જામી પડે. ભવ બિલાડીને, તે આ ભયાનકતા રસ અને રાગની જેઈ, રસ અને રાગના પાપ ધૂમ પ્રમાણમાં સેવ્યા, એને સળગતે