________________ 163 બીજા બીજા પણ જિનભક્તિ, સાધુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે અનેકાનેક ધર્મની આરાધના કરવાની છે. એ કરવાનું તે જ બને કે જે શરીર ટકી રહે, અને સશક્ત રહે. એટલે એ શરીરને ટકાવી રાખવા અને સશક્ત રાખવા જરૂરી ખાવું પડે છે. છતાં જે ખાવું એ પાપ સમજતા હઈશું તે જ વચમાં વચમાં ઉપવાસ ખુશખુશાલ કરવાનું મન થશે, તેમજ ખાવાના દિવસે ખાવાના ટંક ઘટાડી નિત્ય એકાસણામાં આવી જવાશે. ખાવું એ પાપ છે એવું સમજનારે જ નવકારશીમાંથી પરિસીમાં સહેલાઈથી આવી શકશે; કેમકે મનને ઉમેદ છે કે “દિવસ ચડતાં, ખાવાનું પાપ જેટલું મોડું કર્યું એટલું સારું” “એમ સાંજે પણ ખાવાનું પાપ વહેલું બંધ કર્યું એટલું સારું,” એ ભાવના રહેવાથી જ્યારે બપોરે જમ્યા પછી એમ લાગે કે “આજે મેડા જમ્યા છીએ અથવા વહેલા પણ ભારે પદાર્થ પૂરે જમ્યા છીએ તેથી સાંજે ખાવાની જરૂર નથી રહેવાની, તે લાવે, તિવિહાર જ કરી લઈએ; કેમકે ખાવાનું પા૫ છુટયું એટલું સારું. ખાવું એ પાપ છે એ નહિ સમજાય ત્યાંસુધી આહાર 4 ભયંકર નહિ લાગે. વાસ્તવમાં જુએ છે. દેખાશે કે આહાર સંજ્ઞા ભયાનક છે. પૂજામાં બેલે છે ને,