________________ 16 ઉત્તમ, પરંતુ ત્યાં આયંબિલ ચાલવા વખતે મેવામિઠાઈ–ફળ-ફરસાણના પૂર્વે સેવેલા પાપના સળગતા સંતાપ ક્યાં રહ્યા? પરંતુ કહે કે હજી “મેવા-મિડાઈફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છેએમ મને લાગતું નથી, એમ કહેતા નહિ, પ્ર - તે મેવા-મિઠાઈ વગેરે છોડીને આયંબિલ અમથા કરતા હઈશું? ઉ૦- અમથા નહિ, ધર્મ કરી પુણ્ય ઉભું કરવા માટે, અને પાપકર્મોને ક્ષય કરવા માટે, અથવા કીર્તિ કમાવા માટે પણ આયંબિલની ઓળીઓ થાય. બાકી તે આત્મનિરીક્ષણ કરવાનું છે, જાતે જ જાતને તપાસવાની છે, કે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવવા એ મહાપાપ છે. એવું હૈયાને લાગે છે? અને લાગતું હોય તે અત્યારસુધી એ ઉડાવ્યાને સળગતે સંતાપ છે? અને એ સંતાપમાંથી આયંબિલ તપની ભાવના ઊભી થઇ છે? કે પછી “જીવનમાં આયંબિલ ઓળીએ કમાઈ લેવી એમાં ખોટું નથી, ને એમાં વચમાં અવસર મળે ત્યારે મેવા-મિઠાઈ-ફળ-ફરસાણ ઉડાવી લેવા એ પણ