________________ 153 થાઓ છે ? તે તમે કુદરતના ગુનેગાર છે, ને એ કુદરત કાંઈ સજા કર્યા વિના તમને છેડે નહિ.” તો ધિકાર પડો આ રાજવીપણાને! કે જેમાં અવાર–નવાર જીને ત્રાસ આપવાના હોય છે. અરે ! સામાન્ય ગૃહસ્થપણું પણું જીવની હિંસાથી ભરેલું છે, તે મોટા રાજવી પણાના જીવનમાં જીવેની કેવી કેવી અને કેટલી કેટલી હિંસા ? ધિક્કાર છે સંસારવાસને ! ઘરવાસને ! કે જેમાં રહયે આવા ઘોર પાપ કરવા પડે.” બસ, સુદત્ત રાજા મહેલમાં આવ્યા પણ મનને ચેન નથી, પેલા ગુનેગારને સજા સાંભળેલી એના પર આ સંસારના જીના દુખ જોઇ જીવે પર ભારેભાર દયા ઉભરાય છે, અને જીને એવાં દુખ પહોંચાડનારી વિવિધ હિંસાથી ભારોભાર ભરેલા સંસાર પર વૈરાગ્ય વધતે ચાલે છે. વિવેક આનું જ નામ છે કે દુખદ પરિણામ જોઈ એ નીપજાવનાર વસ્તુ પરથી દિલ ઊભગી જાય. જે દિલ ન ઉભગે તે વિવેક શે રહ્યો? ભાગીદાર વિશ્વાસઘાતી નીવડવાનું જાણ્યા પછી એના પર દિલ હવે ઓવારી જતું નથી, પણ ઊભગી જાય છે. - મનને થાય છે કે આવા અવિશ્વસનીય માણસને દિલ કયાં સેપ્યું?