________________ કરેલે. એટલે પછી દરદીઓના કેસ લેવાની ના પાડતાં, સહેજે મનમાં આવે કે “ગુરુ મુનિ મહારાજે આ ઠીક કર્યું કે પાપધંધે બંધ કરાવ્ય!” આમ અવરનવર અવરનવર મનમાં ગુરુ–સાધુ આનંદભેર યાદ કર્યો જવાથી સાધુના સંસ્કાર દઢ થતા ગયા, થતા જ ગયા. દઢ સંસ્કારનું ફળ ભવાંતરે વસ્તુનું સ્મરણ - માનવભવના એ દઢ સંસ્કારનું આ ફળ આવ્યું કે અહીં વાનરના અવતારે જંગલમાં મુનિને પહેલ પહેલાં જોતાં મનને થયું કે આવા તે કયાંક જોયા છે ! ક્યાં જોયા ? ક્યાં જોયા?” ને એમ ઊહાપોહ કરતાં પૂર્વ જન્મ અને ગુરુ મુનિ યાદ આવી ગયા. અહીં એક સવાલ થાય, પ્ર- એવા ધંધા બંધના નિયમવાળે અને નિયમ તથા નિયમ દાતા ગુરુને આનંદથી યાદ કરનારે તે મહાન પુણ્ય ઉપજે એ કેમ વાનરની નીચી ગતિ પાપે? ઉ– એનું કારણ એ છે કે જીવનના છેડા સુધી એ નિયમ પાળી શકો નહિ, અને એ ફરીથી સત્સંગના અભાવે પાછો ધંધે ખુલ્લો કરી નિયમભંગ કરનાર બનેલ, તેથી હલકી તિર્યંચગતિ પામ્યા, બાકી સંસ્કાર-વાર સાથે લઈ આવેલે તેથી એ