________________ રજપૂત સમય ૧ર સાથે ભેંસે હાંકી સિંધમાં ગઈ અને ત્યાં માનસર ઉર્ફે મજુર ગામે નેસ નાખે. હમીર સુમરો સિધને રાજા ફરવા નીકળે અને નેસમાં સ્નાન કરતી એકાકી જાસલની કાયા જોઈ મોહાંધ થયું. તેણે તેને પકડી મંગાવી પિતાની થવા સમજાવી; પણ આહિરાણું એકની બે ન થઈ. જ્યારે કામી રાજાની હઠ વધી ગઈ ત્યારે તેણે ત્રણ માસની મુદત માંગી. હમીરે તેના ઉપર ફરતી ચોકી મૂકી. ચતુર જાસલે નવઘણ ઉપર પત્ર લખી સાસતિયાને મોકલ્યા. સાસતિયે જૂનાગઢ પહોંચે ત્યારે નવઘણની કચેરીમાં રંગરાગ થતા હતા. પત્ર વાંચી નવઘણે શિર ઉપરથી પાઘડી ઉતારી નાખી, રંગરાગ બંધ કરાવ્યા અને આંખમાં આંસુ લાવી પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મારી બહેન - વાદળીયું વહેતી થઈ પવને કરી પલાણ સોરઠ સુકાણે પછી કર્યા માનસરે મેલાણ. માનસર દક્ષિણ સિંધમાં સિંધુ પાસે આવેલું છે. 2. આ હમીર સુમરે ચારણે માને છે તેમ મુસલમાન ન હતો પણ રજપૂત હતો. આ પત્ર દુહામાં લખાય છે. તું નુતે જ ન હોય તે તુ હુતે હુઈ વીર વીમાસી જોય નવઘણ નવ સેરઠ ધણી. નહિ સગું નહિ સાગવું નહિ માડી જાયે વીર મને સિંધમાં રોકી સુમરે હાલવા ન દીયે હમીર. સેરઠના સરદાર મને વિપત્તના વાદળ વળ્યાં (આ દુહે ક્ષેપક છે) મેંધા સહુ શણગાર આજ સેંધામાં ઓછાં થયાં. ગરવો તુજ ગીરનાર પાદર તારે શોભતો (આ દુહે પણ પાછજાસલના શણગાર સિંધમાં ઉતાર્યા સુમરે. ળથી રચેલે જણાય છે) એક આંખે શ્રાવણ વહે અને બીજે ભાદર નીર જાગે સોડ સધીર નવઘણુ નવ સોરઠ ધણી. વિપત વેળાએ વીર હારે રહડજે વહાલથી સોરઠ ડ સધીર નવઘણ નવ નેજા ધણી. માંડવ અમારે માલતાં તે દી બંધવા દીધેલ બેલ કર કાપડની કોર જાસલને જુનાધણી. છેતરી દીધું છેહ વળતી વાળ્યાં સુમરે પાડીશ મારી દેહ સોરઠના શણગાર ! હું. આ દુહાઓ મૂળ હશે કે કેમ તે શંકાસ્પદ છે. જૂની ભાષાવાળા દુહાઓ તો માત્ર ત્રણ જ છે. પછી વાર્તાકાર જોડતા ગયા હશે. પણ વર્તમાન ચારણી સાહિત્યના ભાસ્કર જેવા કવિ દુલાભાઈ કાગે જાસલને પત્ર લખેલો છે, તે અતિ સુંદર અને વાંચવા યોગ્ય છે, જે અત્રે વાચકોના રસ ખાતર લખવાની લાલચ પરાણે રોકવી પડે છે.