________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) સપુષ્પ જાતના બે વર્ગ કરવામાં આવે છે. એક દિદળ (ડાએટલીડસ) યાને જે ઝાડનાં બીજમાં બે પાંખડી હોય છે તે અને બીજો એક દળ (મનોકાટીવીડન્સ) એટલે જે ઝાડનાં બીજ એક પાંખડીવાળાં હોય છે તે.
દ્વિદળ એટલે બે પાંખડીવાળાં બીજનાં ઝાડે. એનાં પાંદડાંની નસો અનિયમિત રીતે ગોઠવાએલી હોય છે અને તેથી તેનાં પાંદડાં ફાડીએ તો વાકચુકા ફાટે છે. એ જાતનાં ઝાડનું લાકડું બાહ્યવર્ધક હોય છે એટલે તે એના ગર્ભ ફરતું ગર્ભથી બહારની બાજુ વધતું જાય છે. એટલે એનું જૂનામાં જૂનું બનેલું લાકડું એના ગર્ભ હોય છે અને તાજામાં તાજું બનેલું લાકડું છાલને અડીને હોય છે. અને એ વર્ગના ઝાડની છાલ તેના લાકડાથી જુદી પડી શકે તેવી હોય છે. એ ઝાડના ફૂલના છણે ઘણું કરીને ચાર અથવા પાંચ ભાગના અગર એ સંખ્યાની શ્રેણીના બનેલાં હોય છે. વણ, આંબલી, ગુલમેર એ ઝાડે આ વર્ગના છે.
એક દળવાળા બીજના ઝાડના પાંદડાની નસો એક બીજા સાથે સમાંતર હોય છે તેથી એના પાંદડાં ફાડીએ તો તે સીધાં ફાટે છે. એ વર્ગના ઝાડનું લાકડું અંતરવર્ધક હોય છે એટલે તે બહારથી અંદર વધતું જાય છે. એટલે એ જાતના ઝાડનું જુનામાં જુનું લાકડું છાલને અડીને હોય છે. અને તાજામાં તાજું બનેલું લાકડું એના ગર્ભ હોય છે. એનું લાકડું તંતુનું બનેલું હેય છે અને તે નિયમિત કદ કરતાં મોટું વધતું નથી. એ વગના ઝાડોને મૂળ ઘણુ તંતુવાળા હોય છે અને તે જમીનમાં ઘણા ઊંડા જતાં નથી, તેથી એ ઝાડ વાવવા માટે જમીન પિચી અને માથે ખાતર હોય તેવી જોઈએ કે જેથી તેને સહેલાઈથી
For Private and Personal Use Only