________________
ગાથા ૧૫
૨૧૯
છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ (પ્રગટપણું ) અને વિશેષ ( જ્ઞેયાકા૨ ) જ્ઞાનના તિરોભાવ ( આચ્છાદન ) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે તોપણ જેઓ અજ્ઞાની છે, શેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દૃષ્ટાંતથી બતાવીએ છીએ.
જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિ૨ોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી ૫૨માર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષા૨૨સરૂપ ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષા૨૨સરૂપ ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકા૨ના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે(વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ ) જ્ઞાન તે અજ્ઞાની, શેય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય શેયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકા૨ અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી ૫રમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સૈંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ ક૨વામાં આવતાં, સર્વતઃ એક ક્ષા૨૨સપણાને લીધે ક્ષા૨૫ણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, ૫૨દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ ક૨વામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાવાર્થ:- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ-ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં જ-લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ શેયમાત્ર આસ્વાદે છે પરંતુ શેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શેયોમાં આસક્ત નથી તેઓ શેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,-જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષા૨માત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કા૨ણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દૃષ્ટિમાં આવતું જે સર્વ ૫૨દ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.